Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

SGVP ગુરુકુલ દ્રોણેશ્વર કન્યા વિદ્યાલયની કન્યાઓ દ્વારા છત્તિસગઢમાં શહીદ થયેલ યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

ઉના તા. ૬ મચ્છુન્દ્રી નદીને કિનારે, દ્રોણેશ્વર મહાદેવ અને મારુતિ કષ્ટભંજનદેવની સાનિધ્યમાં, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીની શાખા દ્રોણેશ્વર કન્યા વિદ્યાલયના શિક્ષકો સહિત કન્યાઓએ તાજેતરમાં છતીસગઢમાં ભયાનક એન્કાઉન્ટરમાં શહીદ થયેલ ૨૨ ઉપરાંત શહીદ  જવાનોને  શ્રદ્ધાંજલિ અર્પણ કરી  હતી.

શહીદ થયેલા જવાનોના આત્માને ભગવાન શાંતિ આપે, તેમના પરિવાર જાણોને આશ્વાસન મળે અને ઘવાયેલ જવાનો જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી હતી.

(12:39 pm IST)