Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

છત્તિસગઢમાં શહીદ થયેલ નવયુવાનોને SGVP ગુરુકુલ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ

 

અમદાવાદ તા.૫ SGVP ગુરુકુલ અને મેમનગર ગુકુકુલ દ્વારા શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી છેલ્લા ૧૨ માસથી દરરોજ રાતે ૮થી ૯ દરમ્યાન ઓન લાઇન ભગવત કથા ચાલી રહેલ છે.

આ કથા પ્રસંગે છતીસગઢમાં ભયાનક એન્કાઉન્ટરમાં શહીદ થયેલ ૨૨ ઉપરાંત નવયુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

શહીદ થયેલા નવયુવાનના આત્માને ભગવાન શાંતિ આપે અને ઘવાયેલ નવયુવાનો તેમજ તેના પરિવાર જનોને સાંત્વના અને ધીરજ મળી રહે તે માટે SGVP ગુરુકુલમાં એક કલાકની ઓન લાઇન પ્રાર્થના રુપે ધૂન રાખવામાં આવી હતી. જેમાં કથા શ્રવણ કરતા ભારત તેમજ વિદેશમાં વસતા હજારો હરિભકતોએ ધૂનમાં જોડાઇ શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રાર્થના કરી હતી.

(11:08 pm IST)