Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

અમદાવાદીઓએ હવે રાજ્ય બહારથી શહેરમાં પ્રવેશ કરતી વખતે RTPCR ટેસ્ટ કરાવાની જરૂર નહીં પડે

અમદાવાદના રહેવાસી છે તેઓએ શહેરમાં એન્ટ્રી કરતી વખતે ફરજિયાત આઇડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ દેખાડવાનું રહેશે

અમદાવાદ : ગુજરાતમાં વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. હવે રાજ્ય બહારથી આવતા મુસાફરોએ અમદાવાદમાં પ્રવેશ કરતી વખતે RTPCR ટેસ્ટ કરાવવાની જરૂર નહીં પડે. જો કે, જેઓ અમદાવાદના રહેવાસી છે તેઓએ શહેરમાં એન્ટ્રી કરતી વખતે ફરજિયાત આઇડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ દેખાડવાનું રહેશે

 અત્રે .ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજ રોજ વધુ નવા 3 હજારને પાર કેસો નોંધાતા રાજ્યમાં તંત્ર ચિંતાગ્રસ્ત થઇ ગયું છે. એમાંય સૌથી વધારે ખરાબ હાલત સુરત અને અમદાવાદની જોવા મળી રહી છે

(10:31 pm IST)