-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
પતિ-પત્ની વચ્ચેના મતભેદથી ૬ વર્ષનો પુત્ર માતા-પિતા વિહોણો થયો
સુરતઃ સુરતમાં પત્નીના આપઘાત બાદ પતિઅે પણ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
વરાછા રોડ પરની ચોપાટીના મહારાણા પ્રતાપ ગાર્ડનમાંથી ગુંદર બનાવવાનું યુનિટ ચલાવતા કમલેશ ગજેરા મૃત હાલતમાં મળી આવ્યા. ઝેરી દવા પીને કમલેશ ગજેરાએ આપઘાત કર્યો.
કમલેશના આપઘાત પહેલા જ પત્ની ભાવિશાએ સંતોષી કૃપા સોસાયટીમાં આવેલા તેમના ઘરમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. સાંજે 4:15 વાગ્યે પરિવારના સભ્યોએ ભાવિશાને લટકતી જોઈ અને તેની તાત્કાલિક હૉસ્પિટલ ખસેડી. જો કે હૉસ્પિટલ પહોંચતાં પહેલાં જ તેનું મોત થયું હતું.
ભાવિશાનું મોત થતા પતિ કમલેશ ઘરેથી નીકળી ગયો. જ્યારે ભાવિશાનું પોસ્ટમોર્ટ ચાલતું હતું ત્યારે પરિવારજનોએ કમલેશને ઘણાં ફોન કર્યા પરંતુ તેણે ઉપાડ્યા નહીં. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, છેલ્લા થોડા મહિનાથી પતિ-પત્ની વચ્ચે મતભેદો થયા હતા. આ કારણે બંનેએ આત્મહત્યા કરી હોય તેવું પોલીસનું માનવું છે.
કાપોદ્રા પોલીસ સ્ટેશને અક્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. કમલેશ અને ભાવિશાએ 8 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા, તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા હતા. તેમનો 6 વર્ષનો પુત્ર છે.