Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં જંપલાવીને મહિલા અને પુરુષનો આપઘાત

 

બનાસકાંઠાઃ થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં એક પુરુષ અને મહિલાએ ઝંપલાવી આપઘાત કર્યો છે. સ્થાનિક તરવૈયાની મદદથી બન્નેના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. બંનેએ આત્મહત્યા કયા કારણે કરી છે હજુ જાણવા મળ્યું નથી.

  મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના થરાદમાં રહેતાં મહિલા અને પુરુષે ગઈ મોડી રાત્રે મુખ્ય નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. આજે સવારે બંનેના મૃતદેહને સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.માહિતીની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી આત્મહત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે બંનેના મૃતદેહોને પીએમ માટે મોકલી આગળ વધુ તપાસ કરી રહી છે. આત્મહત્યાનું કારણ હજી જાણવા મળ્યું નથી.

(1:52 am IST)