Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

વાઘોડિયાના જાફરપુરામાં માતાના મૃત્યુના આઘાતથી બેંક મેનેજર પુત્રએ ઝેર ગટગટાવ્યું

વાઘોડિયા: તાલુકાના જાફરપુરા ગામમાં માતાનું મોત થતા  આઘાતમાં સરી પડેલા  બેંક મેનેજર પુત્રએ પણ ઘરમાં ઉંદર મારવાની ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

પ્રાપ્ત માહિતિ મુજબ જાફરપુરા ગામમાં રહેતા પિનાકીનભાઇ ડાહ્યાભાઇ પટેલ (ઉ.વ.૪૩) પોર ખાતે આવેલી કાલુપુર સહકારી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. દસ દિવસ પહેલા તેમના માતા ઉર્મિલાબેનનું અવસાન થયું હતું. માતાના મોત બાદ પિનાકીનભાઇ ઘેરા શોકમાં સરી પડયા હતાં. ઉર્મિલાબેનના મોતના પગલે ઘેર સંબંધીઓની અવરજવર ચાલુ હતી ત્યારે ગઇ કાલે બપોરે પિનાકીનભાઇએ માતાની યાદમાં ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી.

(5:35 pm IST)