Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

કોંગ્રેસમાં ઉકળતો ચરુ :આશાબેન બાદ બેચરાજીના ધારાસભ્ય પણ નારાજ :રાજીનામાની આપી ચીમકી

મહેસાણા કોંગ્રેસ સંગઠનના હોદેદારો ધારાસભ્યોની અવગણના કરતા હોવાનો આરોપ

અમદાવાદ :લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં અસંતોષના લબકારા હજુ ચાલુ છે નારાજગીનો  ચરૂ ઉકળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના કોંગ્રેસ કેટલાક ધારાસભ્યો નારાજ થયા છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસના આંતરિક વિવાદ મુદ્દે બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે નારાજગી વ્યક્ત કરતા રાજીનામાની ચીમકી આપી છે.

   ભરતજી ઠાકોરનો આક્ષેપ છે કે મહેસાણા કોંગ્રેસ સંગઠનના હોદેદારો ધારાસભ્યોની અવગણના કરે છે.. જિલ્લા સંગઠનના વિવાદને કારણે ધારાસભ્ય કોંગ્રેસ છોડી રહ્યા છે. જેથી સંગઠનમાં બદલાવ જરૂરી છે નહી તો આવનારી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન થશે.

(8:51 pm IST)