Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

પાટીદાર શહીદોને ન્યાય મળ્યો નથી :હાર્દિકનો ચૂંટણી લડવાનો નિર્ણય સમાજ સાથેનો દ્રોહ ગણાય. :બાંભણીયા

અમદાવાદ :ઉત્તરપ્રદેશમાં પાસના સુપ્રીમો હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરતા મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે હાર્દિક પટેલના આ જાહેરાત પર પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ આકરી પ્રતિક્રિયા આપી હતી.

  દિનેશ બાંભણીયાએ કહ્યું હતું કે, સમાજની માંગો પૂરી થઈ નથી. પાસ આંદોલનમાં મોતને ભેટેલા યુવાનોના પરિવારજનોને ન્યાય મળ્યો નથી. ત્યારે ચૂંટણી લડવાનો નિર્ણય સમાજ સાથેનો દ્રોહ ગણાય.

(8:43 pm IST)