-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Wednesday, 6th February 2019
અમદાવાદ-બાલાસિનોર હાઇવે પર અજાણ્યા વાહને માં-દીકરાને હડફેટે લીધા: દીકરાનું કમકમાટી ભર્યું મોત
અમદાવાદ: અમદાવાદ-હાઈવે ઉપર કઠલાલ તેમજ બાલાસિનોર નજીક સર્જાયેલા અકસ્તમાતમાં બેના મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ અમદાવાદ નવા વાડજમાં રહેતા રાજેન્દ્ર પ્રસાદ દશરથભાઈ કંસારા ગઈકાલે સાંજે મોટર સાયકલ નં.જીજે-૦૧ ડીઝેડ-૪૧૧૫ લઈ અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી જઈ રહ્યા હતા ત્યારે ગોગજીપુરા (કઠલાલ) નજીક પૂરઝડપે આવેલ ડમ્પરે મોટર સાયકલને અડફેટે લેતા રોડ ઉપર ફંગોળાઈ ગયેલ બાઈક ચાલકના માથા ઉપર ડમ્પર ફરી વળ્યું હતું. જેથી રાજેન્દ્ર પ્રસાદ કંસારા (ઉં.વ.૪૨)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકી નાસી ગયો હતો. આ બનાવ અંગે સત્યનારાયણ કૈલાસપ્રસાદ કંસારાની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
(5:46 pm IST)