Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

અમલસાડ નજીક અનૈતિક પ્રેમ સંબંધનો કરુણ અંત: પ્રેમી પંખીડાએ ટ્રેન સામે પડતું મૂક્યું

નવસારી:અમલસાડ ગામે, પાડોશમાં પાંગરેલા મંગળવારે સવારે પ્રેમીજોડાએ અમલસાડ રેલવે સ્ટેશન સામે ગરીબરથ એક્સપ્રેસ સામે પડતું મુકી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે.

અમલસાડનાં સરીબુજરંગ સુદામા નગરમાં રહેતા અને મજૂરીકામ કરતા રણજિત જગુભાઈ હળપતિ (ઉ.વ.૨૫) અને તેનાં પાડોશમાં રહેતી શીલા હેમંતભાઈ હળપતિ (ઉ.વ.૨૩) નાં અલગ-અલગ જગ્યાએ લગ્ન થયા હતા. બંન્નેને બે સંતાનો હતા. પરંતુ છેલ્લા ૧ વર્ષથી રણજીત અને શીલા વચ્ચે પ્રેમસંબંધ પાંગરતા રણજીત, શીલામય થઈ ગયો હતો.

(5:43 pm IST)