Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ગોપાલપુરા ગામમાં કપિરાજોનો આંતક :ઘરના સામાનના કાચને નિશાન બનાવતા કપિરાજોથી ગ્રામજનો હેરાન

વન વિભાગ યોગ્ય પગલાં લે તેવી ગ્રામજનોની માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામમાં છેલ્લા ત્રણ દિવસથી કપિરાજોનો આતંક ફેલાતા ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે.આ આતંક મચાવનાર કપિરાજોના ટોળે ટોળા ગામના ઘરોમાં ઘૂસી તિજોરીના કાચ,ટીવી તેમજ જે પણ કાચની વસ્તુ દેખાય તેને નિશાન બનાવી કાચ તોડી નાખે છે તેમજ લોકોના વાડામાં ઘૂસી વોશબેસિગને પણ નિશાન બનાવી તોડી નાખે છે .
  લોકડાઉન પહેલા પણ આજ રીતે કેટલાક કપિરાજનું ઝૂંડ આ ગામમાં આવી આવું જ કૃત્ય કરતા લોકોની ફરિયાદ બાદ વન વિભાગ દ્વારા પીંજરું બેસા મૂકી તેમને પકડી મોવી તરફ છોડી મુક્યા હતા પરંતુ ફરી કપિરાજોનો આવો જ આતંક ગોપાલપુરા ગામ માં શરૂ થતાં અગાઉ જંગલ તરફ છોડલા કપિરાજો જ ગામમાં પુનઃ આવ્યા હોય તેમ લાગી રહ્યું છે માટે વન વિભાગ આ માટે યોગ્ય પગલાં લે તેવી ગ્રામજનોની માંગ છે.

(10:01 pm IST)