Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

ઉમરેઠ નજીક બેચરી પાસેની કેનાલમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા તપાસ શરૂ

આણંદઃ  કેનાલમાંથી યુવક-યુવતીનાં મૃતદેહ મળી આવ્યાંની ઘટના સામે આવી છે. ઉમરેઠનાં બેચરી પાસેની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યાં હતાં. જો કે આ મૃતદેહ મળવા પાછળ યુવક-યુવતીની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઇ રહી છે. આ ઘટનાને લઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે ઉમરેઠ નજીકનાં બેચરી પાસેથી પસાર થતી મહી કેનાલમાંથી નગ્ન હાલતમાં એકબીજાને દુપટ્ટાથી બાંધેલ યુવક યુવતીની લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. જો કે આ હત્યાની પ્રબળ શંકા સાથે પોલીસે પણ મૃતક યુવક-યુવતીની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

(6:22 pm IST)