Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

સુરતમાં 70 વર્ષ જુના મંદિરને તોડી પાડવા મનપાએ નોટિસ ફટકારતા વિવાદ

વરાછા વિસ્તારમાં રોડ પર બનેલું તાડની માતાજી મંદિરને તોડી પાડવા નોટિસથી ભાવિકોમાં રોષ

સુરત :મહાનગર પાલિકા દ્વારા દબાણ હટાવો ઝૂંબેશ અંતર્ગત વરાછા વિસ્તારમાં રસ્તા પર આવેલા મંદિરને મનપાએ નોટિસ ફટકારતા વિવાદ સર્જાયો છે મનપા દ્વારા વરાછા વિસ્તારમાં આવેલા તાડની માતાજીના મંદિરને તોડી પાડવાની નોટિસ આપવામાં આવતા ભક્તોમાં રોષ ફેલાયો છે.આ મંદિરનું ટ્રસ્ટ રજીસ્ટર હોવા છતાં મનપાએ નોટિસ ફટકારી છે.

    મળતી વિગત મુજબ સુરતના વરાછા વિસ્તારમાં વર્ષ 1948થી લાંબે હનુમાન મંદિર રોડ ઉપર બનેલું  છે આ મંદિરનું ટ્રસ્ટ રજીસ્ટર પણ છે. જોકે, આ મંદિરને સુરત મહાનગર પાલિકા દ્વારા તોડવાની નોટિસ ફટકારવામાં આવી છે. સાત દિવસમાં જ મંદિર તોડી પાડવાનું નોટિસમાં જણાવ્યું છે.
  મનપા દ્વારા મંદિરને નોટિસ આપવામાં આવતા એક વિવાદ ઊભો થયોછે.સાથેસાથે રસ્તા ઉપર બંનેલા આ મંદિરને તોડવાની નોટિસ મળતા ભક્તોમાં પણ રોષની લાગણી ફેલાઇ છે.

(11:28 pm IST)