Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

દહેજ મામલે ચલાલીના મહુડીયાપુરામાં પરિણીતા પર શારીરિક-માનસિક ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

નડિયાદ:તાલુકાના ચલાલીના મહુડીયાપુરામાં રહેતી પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મૂકનાર સાસરીયાઓ સામે ચકલાસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ આણંદ તાલુકાના સદાનાપુરામાં રહેતા સોમાભાઈ ભીખાભાઈ તળપદાની દીકરી સેજલબેનના લગ્ન નડિયાદ તાલુકાના ચલાલી તાબેના મહુડીયાપુરામાં રહેતા કનુભાઈ ડાહ્યાભાઈ તળપદાના દીકરા ભરતભાઈ સાથે જ્ઞાતિના રીતરીવાજ મુજબ થયા હતા. આ લગ્ન સમયે પરિણીતાને દહેજ પણ આપવામાં આવ્યું હતું. લગ્નની શરૂઆતમાં પરિણીતાનો ઘરસંસાર સુખરૂપ ચાલ્યો હતો. પરંતુ થોડો સમય પસાર થયા બાદ સાસરીયાઓ ગમે તે બહાનું કાઢી પરિણીતા સાથે ઝઘડો કરતા હતા એટલું જ નહી પિયરમાંથી દહેજ લાવી આપવાની માંગણી કરી ગમે તેમ ગાળો બોલતા હતા. તેમજ અવાર નવાર શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હતા. આમ છતાં પરિણીતા ત્રાસ સહન કરતી હતી. આ દરમિયાન ગઈકાલે સેજલબેન પાસેથી તેનો દીકરો લઈને સાસરીયાઓએ સેજલબેનને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. અને હવે પછી સાસરીયામાં આવી તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી.

બનાવ અંગે સેજલબેન ભરતભાઈ તળપદાની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે ભરતભાઈ કનુભાઈ તળપદા, કનુભાઈ ડાહ્યાભાઈ, શારદાબેન કનુભાઈ, રાજુભાઈ કનુભાઈ તથા જયાબેન રાજુભાઈ તળપદા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

(5:25 pm IST)