Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

આણંદના મુંજકુવા પાસે બે લકઝરી બસ સામસામે અથડાતા ચારના મોત: 30 મુસાફરો ઈજાગ્રસ્ત

આણંદ:શહેરના આંકલાવ તાલુકાનાં મુંજકુવા ગામ પાસે વહેલી સવારે ગોઝારો અકસ્માત થયો હતો. બે લક્ઝરી એકબીજા સાથે ભટકાતા 4નાં મોત થયા હતા. જેમા 30થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આંકલાવ-આસોદર રોડ પર મુજકુવા ગામ પાસે બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો. આંકલાવ તાલુકાના મુજકુવા ગામ પાસે રાત્રિના બે વાગ્યાના સુમારે ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ પાસેના મુજકુવા ગામના સ્થાનિકો દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા અન્ય બે મુસાફરોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. ઘાયલ મુસાફરોને હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે.

 

 

(5:25 pm IST)