Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

ગરમા ધાબળા-ફૂટ વિતરણ

 શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી માનવ સેવા અભિમાન અંતર્ગત સદ્ગુરૂશ્રી સ્વ.સિધ્ધચરણદાસજી સ્વામી, સં. સિ. શ્રી યોગપ્રિયદાસજી સ્વામી, સે.સિ. શ્રી ઘનશ્યામ સ્વરૂપ દાસજી સ્વામી તેમજ ડો. એમ.જી.થી સાગર, જીલ્લા તબીબી અધિકારી સહ સીવીલ સર્જનની ઉપસ્થિતિમાં સીવીલ હોસ્પિટલ, ગોધરા ખાતેના બધા જ દર્દીઓને ગરમ ધાબળા, લીલો મેવો-નાળીયેર, સફરજન, મોસંબી વિગેરેનું છુટથી વિતરણ કરાયું હતું. દર્દીઓ જલ્દી સાજા સારા થાય તેવી પ્રાર્થના સર્વોયજ્ઞ શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી તેમજ શ્રી મુકતજીવન સ્વામીબાપાને કરવામાં આવી હતી. તેવું સં.સિ. ઘનશ્યામ સ્વારૂપદાસજી સ્વામીની એક યાદીમાં જણાવાયું છે.

 

(12:18 am IST)