Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

મતદાન કરશું અને કરાવશું: સુરત ગુરૂકુળમાં સમુહલગ્ન પ્રસંગે નવદંપતીઓની પ્રતિજ્ઞા

સુરત વેડ રોડ સ્વામિનારાયણ ગુરૂકુળમાં સર્વજ્ઞાતીય સમુહલગ્ન પ્રસંગે નવદંપતીઓ તથા મહેમાનોએ મતદાન કરવાની અને કરાવવાની પ્રતિજ્ઞા લીધેલ તે પ્રસંગની તસ્વીર

સુરત તા. પ : રાજકોટ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજશ્રી ધર્મજીવનદાસજી સ્વામીના દીક્ષા શતાબ્દી વર્ષે વિવિધ સામાજીક, ધાર્મિક, અને શૈક્ષણીક કાર્યો થઇ રહ્યા છે. ત્યારે વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ સુરતમાં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ.

સુરતના શ્રી ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત આ સર્વજ્ઞાતિય સમુહલગ્નોત્સવમાં ૩૬ યુગલોએ પ્રભુતામાં પગલા માંડેલ હતા.

અમેરીકાના ધીરૂભાઇ કોટડીયાના અધ્યક્ષસ્થાને યોજાએલ લગ્ન સમારોહમાં લાલજીભાઇ પટેલ, ધર્મનંદન ડાયમંડ, કેશુભાઇ ગોરી ઉપરાંત જીવભાઇ તોરી, હિંમતભાઇ સખરેલીયા, દિલીપભાઇ વાડોલીયા, ભાવેશભાઇ, કાંતિભાઇ, ડી.પી.પટેલ તેમજ સેવકપર્સી મુનાભાઇ તરફથી કરિયાવરમાં સુવર્લનું મંગળસુત્ર, વાસણો, વસ્ત્રો વગેરે આપવામાં આવેલ.

આ પ્રસંગે શ્રી ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટના યુવા ટ્રસ્ટીઓ દ્વારા ૧૬ વિધવા મહિલાઓને સીવણ મશીન ભેટમાં આપવામાં આવેલ હતા.

ટ્રસ્ટના પ્રમુખ શ્રી ધર્મનંદન ડાયમંડના હિતેશભાઇ લાલજીભાઇ પટેલે કહ્યું હતું કે ટ્રસ્ટ આગામી દિવસોમાં સહકારી સહાયથી વંચીત મહિલાઓ માટે એજયુકેશન અંગેના કોર્ષો કરી દીકરીઓને ભણાવવાનું છે વધુમાં તેઓએ નવદંપતિને ઉદેશીને કહેલ કે સુખમાંને દુઃખમાં હર્ષને શોકમાં પ્રેમ અને શ્રધ્ધાંથી એકમેકને સહયોગી બની રહેવાની બળ ભગવાન શ્રી સ્વામીનારયણ અર્પે તેવ પ્રાર્થના અંતમાં ઉપસ્થિત નવદંપતી સહ ૧૧૦૦૦ ભાવિકોએ મતદાન કરશુ અંને કરાવશુની પ્રતિજ્ઞા લીધેલ હતી.

(4:35 pm IST)