Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

ગુજરાતના ૪૩ હજાર વકીલો પૈકી ૧૯ હજાર વકીલોએ વેલ્‍ફર ફંડી રિન્‍યુઅલ ફી ચુકવી : ગુજરાત બાર કાઉન્‍સીલના વકીલો વેલ્‍ફેર ફંડમાં ફાળો આપવામાં ઉદાસીન

અમદાવાદ : ગુજરાતના ૪૩ હજાર વકીલ સભ્યો પૈકી ૧૯ હજાર વકીલોએ વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ચુકવી હોવાનું જાણવા મળેલ છે. ગુજરત બાર કાઉન્સીલના વકીલો વેલ્ફેર ફંડમાં ફાળો આપવામાં ઉદાસન જણાય છે.

વધુ વિગતો મુજબ 24,000 બાકી ધારાશાસ્ત્રીઓએ ફી ભરવાની બાકી છે. બીજી તરફ કોરોના મહામારીના કારણે વકીલોનો મુત્યુઆંક મોટા પ્રમાણમાં છે. તેવા સમયે મુત્યુ પામનારા વકીલોના વારસદારને સમયસર મૃત્યુસહાય ચુકવી શકાય તે માટે સભ્નેય વકીલોને વહેલીતકે વેલ્ફેર ફંડની1500 રુપિયાની રીન્યુઅલ ફી  ભરી દેવા માટે ગુજરાત બાર કાઉન્સીલ એ જાણ કરી છે.

ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એક્ટ હેઠળ ગુજરાતમાં મૃત્યુ પામનારા વકીલોના વારસદારોને બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તરફથી મુત્યુ સહાય આપવામાં આવે છે. વર્તમાન સમયમાં રૂ.3,50,000 મુત્યુ સહાય ચુકવવામાં આવે છે.

મુત્યુ પામનારા વકીલોના વારસદારોને ચુકવવાની આ રકમ વેલ્ફેર ફંડની ટિકીટ, મેમ્બરશીપ ફી, તેમની રીન્યુઅલ ફી દ્વારા એકત્રિત કરી ચુકવવામાં આવે છે. તે સિવાય બાર કાઉન્સીલ ઓફ ગુજરાત નો કોઇપણ ફંડનો ઉપયોગ મૃત્યુસહાયની રકમ ચુકવવામાં આવતો નથી.

ગુજરાત બાર કાઉન્સીલ ના ચેરમેન કિરીટ બારોટ, વાઇસ ચેરમેન શંકરસિંહ ગોહિલ તથા એકઝીકયુટીવ ચેરમેન ભરત ભગત તથા શિસ્ત કમિટીના ચેરમેન અનિલ કેલ્લાંએ જણાવ્યું છે કે ગુજરાતમાં વર્તમાન સમયમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના રોલ પર 88,000 વકીલો નોંધાયેલા છે. તે પૈકી માત્ર 43,000 ધારાશાસ્ત્રીઓ ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના સભ્ય બન્યાં છે.

આ યોજનાનો લાભ લેનારા દરેક વકીલ સભ્યએ 3 ડિસેમ્બર 2019ના ઠરાવ અનુસાર દર વર્ષે 1500 રૂપિયા ફરજિયાત રિન્યુઅલ ફી ભરવાની થાય છે. આ ફી 1/9/2020થી 30/9/2020 સુધીમાં ભરવાની હોય છે. પરંતુ વર્તમાન સમયમાં કોવિડ 19 કોરોનાની મહામારીના કારણે રેગ્યુલર કોર્ટ ચાલુ ના હોવાથી વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી વકીલોને 30/11/2020 સુધીમાં ભરવા માટે આદેશ કરવામાં આવે છે.

આ વેલ્ફેર ફંડની નિયમિત ફી ભરનારા ધારાશાસ્ત્રીના કુંટુંબીજનો સહાય મેળવવાનો હક્કદાર બને છે.

 

(11:25 pm IST)