Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

અમદાવાદના પાલડીમાં શાંતિવન નજીક સત્વ ફ્લેટના સાતમા માળે લાગી આગ: અફરાતફરી

ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી : ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢ્યા

અમદાવાદઃ અમદાવાદના પાલડીમાં શાંતિવન નજીક સત્વ ફ્લેટમાં આગ લાગી છે સત્વ ફ્લેટના સાતમાં માળે આગ લાગવાના લીધે અફડાતફડીનો માહોલ સર્જાયો છે. લોકો ડરામણા દ્રશ્યો જોઈ રહ્યા છે. ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે તરત જ પહોંચી ગઈ હતી. છે. આ આગ લાગવાનું કારણ પ્રારંભિક તબક્કામાં શોટસર્કિટ માનવામાં આવે છે

 . જો કે સ્થાનિકોના જણાવ્યા મુજબ ગેસ સિલિન્ડર ફાટવાના લીધે આગ લાગી હોવાનું મનાય છે. આગ પર મહદઅંશે કાબૂ મેળવી લીધો હોવાનું ફાયરબ્રિગેડે જણાવ્યું છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. બિલ્ડિંગમાં લાગેલી આગમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

(6:14 pm IST)