Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

હાઇકોર્ટના નવા જજ તરીકે વૈભવીબેન નાણાવટી નિઝર દેસાઇ અને નિખિલભાઇ કરિયેલે શપથ લીધા

અમદાવાદ તા. પ :.. અત્રે વૈભવીબેન નાણાવટી, નિર્ઝર દેસાઇ અને નિખીલ કરિયેલે રવિવારે ગુજરાત હાઇકોર્ટના નવા જજ તરીકેના શપથ ગ્રહણ કર્યા હતાં. કોરોનાની મહામારીના લીધે સીમિત મહેમાનો, ન્યાયમૂર્તિઓ, કાયદા મંત્રીની હાજરીમાં હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમ નાથે ત્રણેય નવા જજને શપથ લેવડાવ્યા હતાં. શપથવિધી દરમિયાન હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ ઉપરાંત કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કાયદા રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા, એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદી, સીનીયર એડવોકેટ એસ. એન. શેલત, સીનીયર એડવોકેટ સુધીર નાણાવટી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. નવા ત્રણ જજ મળતા હવે હાઇકોર્ટમાં કુલ જજોની સ્ટ્રેન્થ ૩૦ થઇ ગઇ છે.

(11:34 am IST)