Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

નડિયાદના બારકોશીયા રોડ પર બાઈક અથડાવા બાબતે થયેલ બબાલમાં ચાલકને માર મારવામાં આવ્યો

નડિયાદ:શહેરના બારકોશીયા રોડ ઉપર ગઈકાલે સાંજે બાઈક અથડાવા બાબતે તળપદા અને વ્હોરા ઈસમો વચ્ચે ઝઘડો થયો હતો. જેને લઈ તંગદીલી વ્યાપી જવા પામી હતી. આ બનાવમાં બાઈક ચાલકને માર મારનાર ચાર ઈસમોને પોલીસે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નવા બિલોદરા ખાતે રહેતા સુનિલભાઈ તળપદા ગઈકાલે સાંજે મોટર સાયકલ લઈને મલારપુરામાં જઈ રહ્યા હતા ત્યારે બારકોશીયા રોડ પર મોબાઈલ ઉપર વાત કરતો કરતો બાઈક ચલાવતો હતો. જે આગળ જતા મોટરસાયકલ સાથે અથડાતા સુનિલ તળપદા અને વ્હોરા ઈસમો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં બે ઈસમો વચ્ચે ગાળા-ગાળી થતા ઝઘડો ઉગ્ર બન્યો હતો. જેમાં ચાર ઈસમોએ ગમેતેમ ગાળો બોલી બાઈક ચાલકને ગડદાપાટુ માર માર્યો હતો. આ બનાવના પગલે બારકોશીયા રોડ ઉપર તંગદીલી વ્યાપી ગઈ હતી. આ બનાવની જાણ થતા નડિયાદ ટાઉન પોલીસે તુરંત જ દોડી જઈ બંદોબસ્ત ગોઠવી દઈ મામલો થાળે પાડ્યો હતો. આ બનાવ અંગે સુનિલભાઈ તળપદાની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે સઈદાબેન ઈસ્માઈલ વ્હોરા, યાસ્મીનબેન વ્હોરા, જાવેદભાઈ ઈસ્માઈલભાઈ વ્હોરા તેમજ લતીફભાઈ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. નડિયાદ ટાઉન પોલીસે ચાર ઈસમોની અટક કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ જામીન ઉપર છોડી મૂક્યા હતા.

(5:41 pm IST)