Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

આણંદમાં અગમ્ય કારણોસર ચાર વ્યક્તિ ગૂમ થતા ચકચાર

આણંદ: જિલ્લામાંથી ચાર વ્યક્તિઓ ગુમ થયા અંગેની ફરિયાદો ગઈકાલે જે તે પોલીસ મથકે થતાં પોલીસે જાણવા જોગ નોંધો દાખલ કરીને તપાસ હા ઘરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેરના લોટીયા ભાગોળ ખાતે આવેલા બહુચરાજી ચોકમાં રહેતા વિજયભાઈ વિનુભાઈ ચાવડા (ઉ. વ. ૨૭)ગત ૧લી તારીખના રોજ સવારના સાડા સાતેક વાગ્યાના સુમારે નોકરી ઉપર જવ છુ તેમ જણાવીને ઘરેથી નીકળ્યા બાદ ક્યાંક ગુમ થઈ ગયો હતો. બીજા બનાવમાં જીટોડીયા રોડ ઉપર આવેલી મહાવીરનગર સોસાયટીમાં રહેતા જગદીશભાઈ શંકરભાઈ પ્રજાપતિ (ઉ. વ. ૪૫)ગત ૨જી તારીખના રોજ સવારના સાડા આઠેક વાગ્યાના સુમારે ઘરેથી બહાર જાવ છુ તેમ કહીને નીકળ્યા બાદ ક્યાંક ગુમ થઈ ગયા હતા. ત્રીજા બનાવમાં આણંદ નજીક આવેલા સામરખા ગામના ટેકરાવાળા ફળિયામા રહેતા રાધાબેન અશ્વિનકુમાર પરમાર (ઉ. વ. ૨૦)ગત ૧લી તારીખના રોજ બપોરના સુમારે કોઈને પણ કહ્યા વગર ક્યાંક ગુમ થઈ ગયા હતા. જ્યારે બોરસદ તાલુકાના જંત્રાલ ગામે આવેલી બ્રહ્મપોળમાં રહેતા વિજેતાબેન મહેશભાઈ ભટ્ટ (ઉ. વ. ૩૦)ગત ૨જી તારીખના રોજ કોઈને પણ કહ્યા વગર ક્યાંક ગુમ થઈ ગયા હતા.

 

(5:39 pm IST)