Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

નવરાત્રી વેકેશન મુદ્દે સીબીએસઈની સ્કૂલ સંચાલકો અસમંજસમાં :સરકારને લખ્યો પત્ર :સ્પષ્ટતા માંગી

અમદાવાદ :રાજ્ય સરકારે શાળાઓમાં નવરાત્રી વેકેશન જાહેર કર્યું છે. ત્યારે સીબીએસઈની તમામ સ્કૂલ સંચાલકો અસમંજસમાં છે એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ દ્વારા સરકારને પત્ર લખ્યો છે. અને સ્પષ્ટતા માગી છે કે નવરાત્રી વેકેશન સીબીએસઈ સ્કૂલોને લાગુ પડે કે નહીં.  

   સરકારે નવરાત્રીની વેકેશનની જાહેરાત કરી તેમાં વેકેશન રાખવું તેવું સુચન કર્યું છે પણ ગુજરાત બોર્ડ સિવાયની સ્કુલોને વેકેશન લાગુ પડે કે નહીં તે સ્પષ્ટતા નથી. જો સરકાર બે દિવસમાં જવાબ નહીં આપે તો સીબીએસઈ સ્કૂલ પોતે શકે નિર્ણય લેશે કે નવરાત્રીનું વેકેશન રાખવું કે નહીં કે પછી છેલ્લા ચાર દિવસ વેકેશન આપવું અથવા નવરાત્રી દરમિયાન સ્કૂલ રોજ ચાર કલાક ચાલુ રાખવી. આવો કોઈપણ નિર્ણય લઈ શકે છે.

 

 

(2:12 pm IST)