Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

મોદીના લોકાર્પણ કાર્યક્રમને સમાંતર ધર્મ પ્રેરણા રથ માટે પાટીદાર નેતા દિલીપ સાબવાએ 300 એસટી બસો માંગી

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ વેળાએ પાટીદારોના કાર્યક્રમ માટેબસો ફાળવવા માંગણી

 

નર્મદા ડેમ પાસે સાધુ બેટમાં 31 ઓક્ટોબરે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાનાં છે ત્યારે નર્મદા ડેમ ખાતે પાટીદાર સમાજના એક જૂથે પીએમ મોદીના લોકાર્પણ કાર્યક્રમને સમાંતર ધર્મ પ્રેરણા રથનો કાર્યક્રમનું આયોજન કર્યું છે.

  પાટીદાર અગ્રણી દિલીપ સાબવાએ માટે રાજ્ય સરકાર પાસે 300 એસટી બસોની માગ કરી છે. દિલીપ સાબવાએ કહ્યું કે નર્મદા ડેમ પર ધર્મ પ્રેરણા રથ કાર્યક્રમમાં 30 હજાર લોકો ભેગા થવાના છે. ત્યારે 300 જેટલી એસટી બસની માગ કરી છે.

  જો ભાજપ અને સરકારી કાર્યક્રમમાં 800 એસટી બસો ફાળવવામાં આવતી હોય તો પાટીદારોના કાર્યક્રમ માટે પણ બસો ફાળવવા માગ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે જો સરકાર બસ નહીં ફાળવે તો પીએમ મોદીના કાર્યક્રમમાં જતી બસોને અટકાવીને પાટીદાર સમાજના ખેડૂતોને કાર્યક્રમ સ્થળ પર પહોંચશે

(11:21 pm IST)