Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

વડોદરા :રિફાઇનરીમાં કામ કરતા કર્મચારીનું મોત થતા હોબાળો :ન્યાય મળે પછી જ મૃતદેહ સ્વીકારવા ચીમકી

વડોદરા રિફાઇનરી કંપનીમાં કર્મચારીનું કંપનીમાં મોત થતા આજુબાજુના ગ્રામજનો તેમજ સરપંચો હોબાળો મચાવ્યો હતો

  જાણવા મળ્યા મુજબ રમેશભાઈ રાવળ નામના કર્મચારીનું કંપનીની અંદર મોત થતા હોબાળો મચાવ્યો હતો. મૃતકને રિફાઇનરી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી આપી હતી. હોસ્પિટલ બહાર ન્યાયની માંગ સાથે ભારે સુત્રોચ્ચાર કરી કંપની સત્તાધીશોનો વિરોધ કરાયો હતો.

(8:43 pm IST)