Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

આણંદ તાલુકાના કણભઈપુરામાં 15 વર્ષીય કિશોરનું તળાવમાં ડૂબી જવાના કારણોસર મોત નિપજતા અરેરાટી

આણંદ: તાલુકાના કણભઈપુરા ગામે રહેતો સચીનકુમાર દિલીપભાઈ તળપદા નામનો એક ૧૫ વર્ષીય કિશોર આજે સવારના સુમારે ગામના તળાવ પાસે કુદરતી હાજતે ગયો હતો. જ્યાં તેનો પગ લપસતાં તળાવના ઊંડા પાણીમાં ડુબી જવા પામ્યો હતો. ઘટનાની જાણ આણંદ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં ફાયર ફાયટરો તરવૈયાઓ સાથે કણભઈપુરા ગામે પહોંચી ગયા હતા અને તળાવમાં તપાસ હાથ ઘરીને સચીનકુમારની લાશને બહાર કાઢી હતી. જો કે અંગે ખંભોળજ પોલીસ મથકે કોઈ નોંધ થવા પામી નથી

(6:35 pm IST)