Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

સર્વોપરી શ્રી સ્વામિનારાયણ મંદિર, કલોલમાં "પર્યાવરણ થીમ" પર હિંડોળો સજાવ્યો*...

ઉત્તર ગુજરાતના પ્રવેશદ્વાર સમા કલોલ હાઈવે પાસે આવેલ મણિનગર  શ્રી  સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સર્વોપરી શ્રી સ્વામિનારાયણ મંદિર, કલોલમાં  શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય  શ્રી  પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી  મહારાજની પ્રેરણા થી *શ્રી સ્વામિનારાયણ ભગવાન - શ્રી મુખવાણી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ તથા શ્રીજી સ્વયંમૂર્તિ શ્રી અબજી બાપાશ્રી શતામૃત મહોત્સવ* ના ઉપક્રમે પર્યાવરણ થીમ ઉપર હિંડોળો બનાવવામાં આવ્યો છે. પર્યાવરણથી દેશ અને વિશ્વમાં હરિયાળી ક્રાંતિ થાય એ હેતુથી  હિંડોળાનું આયોજન કરાયું છે. હિંડોળાના દર્શનાર્થે  મોટી સંખ્યામાં ભક્તો તથા ભાવિકો આનંદોત્સાહ સહ ઉમટ્યા હતા.

 

(1:11 pm IST)