Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

ભરૂચઃ મકાનની દિવાલ તૂટતા પાંચ દટાયાઃ ૩ બાળકોના મોત

ભરૂચઃ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના નાડીદા ગામે વરસાદ કહેર બન્યો હતો ગામમાં એક કાચા મકાનની દીવાલ ધરાશાયી થતા ૫ લોકો દટાયા હતા જેમાં ૩ બાળકોના કરૂણમોત મોત નિપજયા હતા ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. ઇજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

ધોધમાર વરસાદ પગલે બાળકોએ જીવ ગુમાવ્યા છે. સંભવતઃ એક જ પરિવારના બાળકોના જીવ ગયા હોય તેવી શકયતા છે.કાટમાળ નીચેથી બાળકોનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતબાળકોમાં બે બાળકી અને એક બાળકનો સમાવેશ થાય છે. રાજયમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાગરા નાડીદા ગામે વરસાદ ભુલકાઓ માટે મોત બની આવ્યો હતો.

(12:10 pm IST)