Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

ધરમપુર ચોકડી નજીક સુરત જતી કાર પલ્ટી ખાઈ જતા ત્રણ લોકોના મોત: 3 લોકોને ઈજા

ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા:મૃતકો સુરતના હોવાનું મનાય છે

વલસાડ  નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ધરમપુર ચોકડી પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે જયારે ત્રણ લોકોને ઇજા પહોંચી છે.

  જાણવા મળ્યા મુજબ વાપીથી સુરત તરફ જતી કાર પલટી જતા આ અકસ્માત સર્જાયો હતો. હાલમાં ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતનો ભોગ બનનાર લોકો સુરતના હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

(12:03 am IST)