Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

અંકલેશ્વરમાં અનરાધાર 7 ઇંચ વરસાદ: અનેક વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ

હાંસોટ રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો

અંકલેશ્વર પંથકમાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા મુશળધાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળ બંબાકારની પરિસ્થિતિ સર્જાય છે. અંકલેશ્વરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ 20 ઉપરાંત સોસાયટીઓમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.

  છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. નજીકની આમળાખાડી ઓવરફ્લો થતા હાંસોટ રોડ પર આવેલ એશિયાળ નગર, ત્યાગી નગર ,જનક વાટિકા સહીતની સોસાયટીઓમાં રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.અંકલેશ્વર હાંસોટ રોડ પર પાણી ભરાઇ જતા હાંસોટ રોડ પર તકેદારીના ભાગ રૂપે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.

(8:46 am IST)