Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

નર્મદા જિલ્લામાં કોરોનાને મ્હાત આપી સાજા થયેલ ૧૧ દર્દીઓને રજા અપાઈ : આજે એકપણ પોઝિટિવ કેસ નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં આજે કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ. કશ્યપના જણાવ્યા મુજબ ગતરોજ મોકલેલ તેમજ અગાઉના પેન્ડિંગ ૬૨ અને ૨૯ તમામના રિપોર્ટ આજે નેગેટીવ આવ્યા છે સાથેજ આજે રાજપીપળા કોવિડ હિસ્પિટલમાંથી સાજા થયેલ ૧૧ દર્દીઓ ને રજા આપવામાં આવી છે

  હાલ કોવિડ હોસ્પિટલ ખાતે ૧૫ દર્દી સારવાર હેઠળ છે.આજદિન સુધી ૭૯ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.જિલ્લામાં કુલ ૯૪ દર્દી કોરોનાના નોંધાયા છે આજે વધુ ૫૮ સેમ્પલ ચકાસણી માટે મોકલેલ છે.

(1:15 am IST)