Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

કાલોલના નવાપુરામાં કોરોના સંક્રમિત ફરસાણના વેપારીની પત્નીનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો

ક્વોરેન્ટાઇન પૂર્ણ કરીને ઘરે આવ્યા બાદ તબિયત લથડતા કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ

કાલોલ નગરના નવાપુરા વિસ્તારના ૫૧ વર્ષિય મહિલાનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા નવાપુરામાં ફફડાટ ફેલાયો હતો. આ કોરોના અસરગ્રસ્ત મહિલાએ અગાઉ ગત ૨૪/૬ના રોજ નવાપુરાના રહીશ અને બસ સ્ટેન્ડ પાસે ફરસાણની દુકાન ધરાવતા ચેતનભાઈ કાછીયા નામના વેપારીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેના દશમા દિવસે તાજેતરમાં શુક્રવારે સવારે તેમની પત્ની નિશાબેન ચેતનભાઈ કાછીયાને પણ સંક્રમણની અસર વર્તાતા કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ સંક્રમણ અંતર્ગત અગાઉ તેમના પતિનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમની પત્નીને તાજપુરા સ્થિત સરકારી ક્વોરન્ટાઇન હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા, જ્યાં કવેરોન્ટાઈન દરમિયાન તેમનો કોરોના સેમ્પલ નેગેટિવ આવ્યો હતો જેથી તેમને કવેરોન્ટાઈન પિરીયડના અંતે ચાલુ સપ્તાહે ઘેર પરત મોકલ્યા હતા. પરંતુ ઘેર આવ્યા પછી નિશાબેનની તબિયત નાદુરસ્ત બનતા પુનઃ તાજપુરા હોસ્પિટલમાં તેમના કોરોના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
 

(11:25 pm IST)