Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ગુજરાતના પ્રશ્નોના ઉકેલ માટે હરહંમેશ તત્પર રહીશું :રાજ્યસભામાં ભાજપના બંને જીતેલા સાંસદનો વાયદો

પીએમ મોદી, અમિતભાઈ શાહ તેમજ તમામ ધારાસભ્યો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો

 

અમદાવાદ :રાજ્યસભાની ચૂંટણીના મતગણતરી બાદ ભાજપના બંને ઉમેદવારોનો વિજય થયો છે મતગણતરી બાદ મુખ્યપ્રધાન રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના ભાજપના નેતાઓએ બંને ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી. બંને ઉમેદવારોનું ફૂલહારથી સન્માન કરાયું હતું તેમજ તેમને મીઠાઇ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું

    ભાજપના બંને ઉમેદવારોને ધાર્યા કરતા પણ વધુ મત મળ્યા છે. રાજ્યસભાની ચૂંટણીમાં જીત બદલ એસ. જયશંકર અને જુગલજી ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ અને ગુજરાતના તમામ ધારાસભ્યો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ગુજરાતના પ્રશ્નોના ઉકેલ માટે હરહંમેશ તત્પર રહેવાનો વાયદો કર્યો હતો

(10:10 pm IST)