Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

બોરસદના જંત્રાલમાં ભેદિસંજોગોમાં પરિણીતાના મોતથી અરેરાટી: અકસ્માતે મોતનો ગુનો દાખલ થતા તપાસ શરૂ

બોરસદ:તાલુકાના જંત્રાલ ગામના ગ્રામપંચાયતની ઓફિસ સામે રહેતી એક પરિણીતાનું ગઈકાલે રાત્રીના સુમારે શંકાસ્પદ મોત થવા પામ્યું છે. પ્રાથમિક તપાસમાં તેના પતિએ જ માથામાં બોથડ પદાર્થનો ફટકો મારીને હત્યા કરી નાંખી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટના બાદ પતિ ફરાર થઈ ગયો હોય તેના પર શંકા વધુ મજબુત બનવા પામી છે. હાલમાં તો વીરસદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર જંત્રાલ ગામે રહેતી ભાવનાબેન ઉર્ફે ભાનુબેન અરવિંદભાઈ ચુનારા વાઘરી (ઉ. વ. ૨૧)મધ્યરાત્રીના સુમારે તેના ઘરમાં જ બેભાન હાલતમાં મળી આવતાં તેણીને તુરંત જ સારવાર માટે બોરસદની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ સવારે ગ્રામજનોને થતાં લોકોના ટોેળેટોળા એકત્ર થઈ જવા પામ્યા હતા. વીરસદ પોલીસને જાણ કરતાં જ પોલીસ પણ જંત્રાલ ગામે પહોંચી ગઈ હતી અને તપાસ કરતાં પરિણીતાને શરીર પર બાહ્ય ઈજાના કોઈ ચિન્હો જોવા મળ્યા નહોતા. પરંતુ તેણીના પતિની હાજરી જોવા ના મળતાં પરિણીતાની હત્યા કરાઈ હોવાની આશંકાને આધારે કરમસદની મેડીકલ હોસ્પીટલમાં મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવવામાં આવ્યું હતુ. 

(5:54 pm IST)