Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

વીજ કંપનીની બેદરકારી:દેડીયાપાડાના પીપલાકંકાલા ગામે ૬ વર્ષીય બાળકને કરંટ લાગતા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ હોય નર્મદા જિલ્લાના દેડીયાપાડા,સાગબારા તરફ વરસાદ પડતા દર વર્ષની જેમ આ વર્ષે પણ કેટલાય લોકોને કરંટ લાગવાની ઘટના બનશે જેમાં ગુરુવારે એક બાળકને કરંટ લાગતા તેનું મોત થયાનું સામે આવ્યું છે.
  દેડીયાપાડા તાલુકાના પીપલાકંકાલા ગામમાં ફળિયામાં કેટલાક બાળકો રમતા હતા ત્યારે સોહમ ઈશ્વરભાઈ વસાવા( ઉ,વ, ૬)નામનો બાળક મિત્રો સાથે રમતો હતો તે વખતે આંગણામાં આવેલ ઈલેક્ટ્રીક થાંભલાના તાણીયાના તારને રમતા રમતા હાથથી પકડી લેતા અને વરસાદ પડવાના કારણે તાણીયા ના તાર પર ઈલેક્ટ્રીક કરંટ ઉતરતો હોય આકસ્મીક રીતે કરંટ લાગતા તેને તાત્કાલિક ૧૦૮ મારફતે દેડીયાપાડા સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડાયો હતો પરંતુ ત્યાં પહોંચતા તે મૃત હોવાનું જાણવા મળતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.ઘટના ની જાણ થતાં દેડીયાપાડા પોલીસે અ. મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(7:01 pm IST)