Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

કોરોનામા આર્થિક રીતે મુશ્કેલી વેઠતા લોકો,વેપારીઓ, ખેડૂતો અને વાલીઓની મદદ કરવા સરપંચ પરિસદ દ્વારા આવેદન

ગ્રામ પંચાયતોના પ્રશ્નોને લઇ ગ્રામપંચાયતોમાં ઠરાવ કરી ઠરાવો મુખ્ય મઁત્રીને આપવામાં આવશે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોનામાં તમામ વર્ગ આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ત્યારે તંત્ર આવા લોકોની મદદ કરે એ માટે ગુજરાત રાજ્ય સરપંચ પરિસદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું અને આવા લોકોની મદદ કરવાની રજૂઆત કરી જેમાં નર્મદા પંચાયત સરપંચ પરિસદના દક્ષિણ ઝોનના કન્વીનર નિરંજન વસવાએ જણાવ્યું હતું કે કોરોના સંકમણના કારણે નાના-મોટા ઉધોગો, રોજગાર ઠપ થઇ ગયા છે. નર્મદા જીલ્લાના ખેડૂતોના રવિ પાકોમાં પણ યોગ્ય સંભાળ ન થઇ હોઇ ઉત્પાદન ઓછું આવેલ છે સાથે પાક માટે યોગ્ય વળતર (ભાવ) મળી રહેતું ન હોવાથી પહેલેથી જ દેવાદાર બનેલ નર્મદા જીલ્લાના ખેડૂતોનું ભવિષ્ય સંકટમય સ્થિતિમાં છે. તે માટે નર્મદા જીલ્લાના તમામ વર્ગના ખેડૂતોના લોકોના મુખ્ય પ્રશ્નોનું નિરાકરણ કરવા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.
જેમાં આ ત્રણ મુદ્દા ને લઈને માંગ કરી છે કે (૧) આવનાર શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૦૨૧ ના સમયે શાળા-કોલેજની ફી ભરવાની ચિંતા તમામ વાલીઓને સતાવી રહેલ હોવાથી ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષની પ્રથમ સત્ર ની ફી માફ કરવી(૨) માર્ચ-૨૦૨૦ થી જુન-૨૦૨૦ સુધી ૪ માસનું લાઇટબીલ માફ કરવુ(૩) ચોમાસુ પાક માટે તમામ ખેડૂત વર્ગો માટે સર્વે નં. / કટયા દિઠ અને ખેડૂત દિઠ જરૂરી બિયારણ તેમજ ખાતર મફત આપવામાં આવે આ તમામ મુખ્ય આફતો અને પ્રશ્નો માટે નર્મદા જીલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં મુદ્દાઓ અંગે જરૂરી ઠરાવ કરી રાજય સરકાર પાસે આ તમામ બાબતોની માંગ કરવા અપેક્ષા રાખતું આવેદન કલેક્ટરને સુપ્રત કરાયું હતું.

(8:43 pm IST)