Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

સીસોદ્રા પટેલ ફળિયું કોરોન્ટાઇન કર્યું હોવા છતાં બહાર નિકળી જાહેરનામા નો ભંગ કરનાર વિરુદ્ધ ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ નર્મદા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થતાં તંત્ર દ્વારા કેટલાક ગામોના વિસ્તારો કોરોન્ટાઇન કરવા છતાં અમુક લોકો બિન્દાસ બહાર નીકળતા પોલીસ કાયદેસર કાર્યવાહી કરે છે.
જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર નાંદોદ તાલુકના સિસોદ્રા ગામના પટેલ ફળિયામાં કોરોના પોજેટિવ કેસ આવતા આ ફળિયું કોરોન્ટાઇન કરાયું હોવા છતાં વિનુભાઇ કસ્તુરભાઇ પાદરીયા નામના વ્યક્તિ પોતાના ઘરની બહાર નીકળી તેમની દુકાન ખોલતા આમલેથા પોલીસે તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે.

(10:09 pm IST)