Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ગુજરાતને ભયજનક ગતિએ ભરડામાં લેતો કોરોના :આજ સુધીના રેકોર્ડબ્રેક 3160 નવા કેસ : લોકો ફફડી ઉઠ્યા :વધુ 2024 દર્દીઓ સ્વસ્થ થયા :15 દર્દીઓના મોત :કુલ મૃત્યુઆંક 4581 થયો : કુલ 3,00,765 લોકોએ કોરોનાને હરાવ્યો :રાજ્યમાં વધુ 3,00,280 લોકોનું રસીકરણ કરાયું : મહારાષ્ટ્ર સહીત અન્ય રાજ્યોમાંથી આવતા તમામ લોકોનો RTPCR ફરજીયાત

રાજ્યમાં આજે સુરતમાં 788 કેસ, અમદાવાદમાં 787 કેસ,વડોદરામાં 330 કેસ, રાજકોટમાં 311 કેસ,જામનગરમાં 124 કેસ, મહેસાણામાં 88 કેસ,ભાવનગરમાં 79 કેસ, ગાંધીનગરમાં 66 કેસ, પાટણમાં 65 કેસ, મહીસાગર અને પંચમહાલમાં 39 કેસ,મોરબીમાં 33 કેસ, જૂનાગઢ, ભરૂચ અને ખેડામાં 32 કેસ, કચ્છ અને નર્મદામાં 30-30 કેસ, આણંદમાં 25 કેસ, દેવભૂમિ દ્વારકામાં 23 કેસ, સુરેન્દ્રનગરમાં 22 કેસ, અમરેલી અને બનાસકાંઠામાં 20-20 કેસ, સાબરકાંઠામાં 19 કેસ નોંધાયા : હાલમાં 16252 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 2000ને પાર પહોંચ્યા છે આજે રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે આજ સુધીના સૌથી વધુ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે રાજ્યમાં 3160 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 2028 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા રઉંકોર્ડબ્રેક 3160 કેસ નોંધાયા છે જયારે વધુ 2028 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ  3,00,765 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 15 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 4566 થયો છે છે  રાજ્યમાં રિકવરી રેટ 93,52 ટકા  થયો છે

 રાજ્યમાં આજે સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ  કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 1 અને ભાવનગર કોર્પોરેશનમાં 1 મળીને કુલ 15 દર્દીઓના મોત નિપજ્યા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4581 થયો છે  

    રાજ્યમાં હાલ 16252 એક્ટિવ  કેસ છે, જેમાંથી  167 લોકો વેન્ટિલેટર પર અને 16,085 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3,00,765 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 67,62,638 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 8,10,126 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે આમ કુલ 72,72,764 રસીકરણના અપાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં આજે  60 વર્ષર્થી વધુની ઉંમર વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી આજે 2, 73,041 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 25,343 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 3160 પોઝિટિવ કેસમાં સુરતમાં 788 કેસ, અમદાવાદમાં 787 કેસ,વડોદરામાં 330 કેસ,રાજકોટમાં 311 કેસ,જામનગરમાં 124 કેસ, મહેસાણામાં 88 કેસ,ભાવનગરમાં 79 કેસ,ગાંધીનગરમાં 66 કેસ,  પાટણમાં 65 કેસ, મહીસાગર અને પંચમહાલમાં 39 કેસ,મોરબીમાં 33 કેસ, જૂનાગઢ, ભરૂચ અને ખેડામાં 32 કેસ, કચ્છ અને નર્મદામાં 30-30 કેસ, આણંદમાં 25 કેસ, દેવભૂમિ દ્વારકામાં 23 કેસ, સુરેન્દ્રનગરમાં 22 કેસ, અમરેલી અને બનાસકાંઠામાં 20-20 કેસ, સાબરકાંઠામાં 19 કેસ નોંધાયા છે

(7:46 pm IST)