Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

કોંગ્રેસ દ્વારા જનબુથ ચલો અભિયાન શરૂ કરાશેઃ પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ અમિતભાઇ ચાવડાની જાહેરાત

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિતભાઈ ચાવડાએ કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત પત્રકાર પરિષદ યોજી હતી જેમાં જણાવ્યા પ્રમાણે આજ સવારથી કાર્યકરો સાથે મિટિંગ યોજી હતી જેમાં આવનાર મહિનાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે અને આગળની રણનીતિ નક્કી કરેલ છે તેમનો લક્ષ્યાંક છે કે મહિનાની અંદર જિલ્લાના તમામ કાર્યકરોને મળશે કાર્યક્રમની શરુઆત અંબાજી,બનાસકાંઠાથી કરવામાં આવશે સાથે તારીખ ૧૪ એપ્રિલના રોજ બાબા સાહેબ આંબેડકર જ્યંતિના દિવસે પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે,

કોંગ્રેસ દ્ધારાજનબૂથ ચલો અભિયાનચાલુ કરવામાં આવશે જેમાં પુરુષ જનમિત્ર અને મહિલા જનમિત્ર એમ બે પ્રકારના બૂથ તારીખ ૧૫ એપ્રિલથી શરૂ કરવામાં આવશે.જનબૂથ ચલો અભિયાનનો ઉદ્દેશ છે કે ચૂંટણીના સમય સિવાય પણ પ્રજાના કામ કરી શકાય અને પ્રજાને મુદ્દાને હલ કરી શકાય તે માટે શરુઆત કરવામાં આવશે.જનબૂથ ચલો અભિયાનથી જે જગ્યાએ કોંગ્રેસનું સંગઠન નબળું છે ત્યાં સિનિયર આગેવાનોની કમિટિ બનાવી તેના પર દેખરેખ રાખવાનું મોનિટરિંગ ઊભુ કરવામાં આવશે.

 

(7:21 pm IST)