Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

પોલીસ તંત્રમાં બદલીની મોસમ પુરબહારમાં ખીલીઃ સીઆઇડી(આઇબી) ના વી.કે.પટેલ તથા વી.એમ.જોષી રાજકોટ રૂરલમાં મુકાયાઃ બોટાદના જે.એમ.સોલંકી તથા સીઆઇડી ક્રાઇમના કે.કે.ઝાલાને જુનાગઢમાં પોસ્ટીંગ

રાજકોટ :  રાજય પોલીસ તંત્રમાં ચૂંટણીઓ જાહેર થાય તે પહેલા વધુ ને વધુ પી.એસ.આઇ. પી.આઇ.ની બદલી કરવાની મોસમ પુરબહારમાં ખીલી છે.  રર પી.એસ.આઇ.ના બદલી હુકમના પગલે ૭ જેટલા પોલીસ ઇન્સપેકટરોની બદલીઓ કરી તેઓને તાકીદે છૂટા કરવા  રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. જેઓની બદલી થઇ છે તેમાં  સીઆઇડી ક્રાઇમ અને રેલ્વે(ગાંધીનગર) ના  કે.કે.ઝાલા-જુનાગઢ, સીઆઇડી આઇબી ના વી.કે.પટેલ, તથા વી.એચ.જોષી - રાજકોટ રૂરલ, બોટાદના જે.એમ.સોલંકી- અમદાવાદ, ગાંધીનગરના ડી.એ. ચૌધરી- મહીસાગર, અમદાવાદ શહેરના એન.એમ.પટેલ- મહીસાગર, તથા અમદાવાદ રૂરલના  વી.એસ. માંઝરીયાને ગાંધીનગર મુકતો હુકમ કરવામાં આવ્યો છે. આમ બદલી મોસમ પુરબહારમાં ખીલી છે.

(9:04 pm IST)