Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

મંચ પર કેશુભાઇ પટેલને પગે લાગ્યા મોદી : આશિર્વાદ લઇ પૂ્છયા ખબર અંતર

અમદાવાદ : અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણા ધામ, વિશ્વના પ્રથમ અદ્યતન પંચતત્વ મંદિરની આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવ્યાં છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મંચ પર ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને જોતાં જ તેમના પગે લાગ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુભાઇ પટેલના આશીર્વાદ લેવાની સાથે તેમના ખબર અંતર પણ પૂછ્યાં હતાં. જોકે, આ પહેલીવાર નથી કે નરેન્દ્ર મોદીએ કેશુભાઇ પટેલના આશીર્વાદ લીધા હોય.

અગાઉ કેશુભાઇ પટેલના પુત્ર પ્રવિણ પટેલનું અમેરિકા ખાતે નિધન થતાં અમદાવાદની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુભાઇ પટેલની મુલાકાત લીધી હતી અને તેમને સાંત્વના પાઠવી હતી.અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણા ધામ, વિશ્વના પ્રથમ અદ્યતન પંચતત્વ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે મંચ પર કેશુભાઇ ભાઇ પટેલ, કરશન ભાઇ પટેલ, વલ્લભભાઇ કથીરીયા, દિનેશ કુભાણી, સુરેન્દ્ર પટેલ, મનસુખ માંડવીયા, દિલિપ સંઘાણી પણ હાજર હતા.

(3:49 pm IST)