Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સાધુ પરણીતાને ભગાડી ગયો : સંપ્રદાયમાંથી નામ કમી

અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સાધુ માધવપ્રિયદાસ એક પરિણીતાને લઈને ભાગી ગયા હોવાની માહિતી મળી છે. આ સમસ્થ મામલો સામે આવતા કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા માધવપ્રિયદાસનું નામ કમી કરી દેવામાં આવ્યું છે.

પ્રાપ્ત થઈ રહેલી માહિતી પ્રમાણે સ્વામિનારાયણ મંદિર કાલુપુરના સાધુ માધવપ્રિયદાસ ઉર્ફે મહિપાલસિંહ વાઘેલાપરિણીતાને લઈને ભાગી ગયા હોવા અંગે તેમના જ શિષ્યોએ મંદિરમાં રજૂઆત કરવામાં આવી હતી. તેઓ પહેલી માર્ચે ડાંગરવાની પરિણીતાને લઈ ફરાર થઈ ગયા હતા.

(1:50 pm IST)