Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

ઊંઝા-મહેસાણા હાઇવે પર પેટ્રોલ પંપ સળગાવવાના પ્રયાસના ગુન્હાના ફરાર ત્રણ આરોપીઓ ઝડપાયા

હાઇકોર્ટના આગોતરા લાવેલા આરોપીઓ જમીન મુક્ત :ગુન્હામાં વપરાયેલી કાર કબ્જે

મહેસાણા :ઊંઝા પોલીસે હાઇવે સ્થિત પેટ્રોલ પંપ સળગાવવાના પ્રયાસના ગુનામાં ફરાર ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.

  આ અંગે મળતી વિગત મુજબ ઊંઝા-મહેસાણા હાઇવે પર આવેલા ૯૯.૯૯ પેટ્રોલપંપે ૨૦ નવેમ્બરે રાત્રે ગાડી (જીજે ૦૧ કેપી ૯૦૯૦)માં સીએનજી પુરાવા મુદ્દે ૪ શખ્સોએ દીવાસળીથી પંપ સળગાવવા પ્રયાસ કરી ફરાર થઇ ગયા હતા.

   જેમાં બુટાપાલડીનો અને ડીસામાં રહેતો અરવિંદજી છનાજી ઠાકોર ઘટના સ્થળે જ પકડાઇ ગયો હતો. જ્યારે ફરાર ૩ આરોપી પૈકી મહેરવાડાના જશવંતજી મેઠાજી ઠાકોરને  ઊંઝાથી ઝડપી લીધો હતો. જ્યારે શ્રવણજી અનારજી વાઘેલા (વડાવળ, તા.ડીસા) અને તેજસિંહ વીંજાજી રાજપૂત (એ/૧૯૨, ગુરુગ્રીન સોસાયટી, ડીસા) હાઇકોર્ટમાંથી આગોતરા લાવેલા હોઇ એમની અટકાયત કરી જામીન પર મુક્ત કર્યા હતા. ઊંઝા પોલીસે ગુનામાં વપરાયેલી કાર જપ્ત કરી હતી.

(10:59 am IST)