Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

લેહમાં શહીદ થયેલ ગુજરાતના જવાનનો પરિવાર શહીદના બન્ને દિકરાને પણ દેશસેવા કાજે આર્મીમાં મોકલવા તૈયાર

મોડાસા તા. ૫ : ઝરડા ગામના ખુશાલસિંહ સિસોદીયા લેહમાં ફરજ બજાવી રહ્યા હતા. આ સમયે હિમશીલા પડવાથી તેઓ દટાઈ ગયા હતા અને સારવાર દરમિયાન જવાન શહીદ થયા હતા. શનિવારે જવાનનો નશ્વરદેહ વતનમાં લવાતાં ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય આપવામાં આવી હતી.

 

જય જવાન અને ભારત માતા કી જય,જવાનો અમર રહોના નારા વચ્ચે અશ્રુભીની આંખે ગામે શહીદને અંતિમ વિદાય આપતાં હાજર અસંખ્ય લોકોની આંખો ભીની થઈ હતી. દેશની રખેવાળી કરનાર જવાન ઉપર પરિવારજનોએ પણ આક્રંદ વચ્ચે નાઝ વ્યકત કર્યો હતો. શહીદના પરિવારમાં ખુમારી અને દેશભકિત તો જુઓ શહીદના બંને દીકરાને પણ દેશસેવા માટે સેનામાં મોકલવા તૈયાર છે.

(10:20 am IST)