Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ધોરણ ૯ની વિદ્યાર્થીનીને ૧૦૫૫૧ સાયકલ મળી

આદિજાતિ મંત્રી દ્વારા માહિતી અપાઈ

અમદાવાદ,તા.૫: રાજ્યમાં અનુસુચિત જનજાતિની ધો.૯માં અભ્યાસ કરતી ૧૦,૫૫૧ કન્યાઓને રાજ્ય સરકારની સાઇકલ આપવાની યોજના હેઠળ સહાય કરવામાં આવી છે, તેમ આદિજાતિ મંત્રી ગણપતભાઈ વસાવાએ જણાવ્યું છે. આજે વિધાનસભા ખાતે પ્રશ્નોતરી કાળ દરમ્યાન સુરત પશ્વિમના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી અને હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા દ્વારા અનુસુચિત જનજાતિની કન્યાઓને  સાઇકલ સહાય યોજના સંદર્ભેપૂછવામાં આવેલા લેખિત પ્રશ્નો પ્રત્યુત્તર આપતા મંત્રી વસાવાએ વિગતવાર માહિતી આપી હતી.

(11:28 pm IST)