Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

અમીરગઢના ધનપુરામાં જંતુનાશક દવા પી લેતા અેક બાળકનું મોત, બેની હાલત ગંભીર

અમીરગઢઃ અમીરગઢના ધનપુરા ગામે ત્રણ બાળકોએ જંતુનાશક દવા પી લેતા એક બાળકનું મોત થયુ છે. જ્યારે બે બાળકોની હાલત ગંભીર છે. ધનપુરા ગામે ઘર આગળ રમી રહેલા બાળકોએ કોઈ ઝેરી દવા પી લેતા તેમને પાલનપુર સિવિલ મા ખસેડાયા હતા. જો કે, બાળકોની રવિવારે હાલત વધુ કથળતા તેઓને ખાનગી હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે એક બાળકની હાલત વધુ ગંભીર થતા તેને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જો કે તેનું મોત નિપજ્યુ છે. જ્યારે બે બાળકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

-------------------------------------

(8:22 pm IST)