Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

વડોદરામાં સાયક્લોથોન સમયે વિદ્યાર્થીના મોત પ્રકરણમાં ન્યાય ન મળતા વાલીઓમાં ભારે રોષની લાગણી

વડોદરાઃ ગયા અઠવાડિયે આયોજીત સાયક્લોથોન સમયે અેક વિદ્યાર્થીનું અકસ્‍માતે મોત થયુ હતું. આ પ્રકરણમાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા વાલી મંડળમાં ભારે રોષ છવાયો છે.

વાલી મંડળે રેલી યોજીને શાળા સંચાલકો સામે પગલાં ભરવાની માંગ કરી છે. વિદ્યાર્થીના મોત મામલે હજુ પણ કાર્યવાહી ન થતા શાળા તંત્ર સામે વાલીઓમાં રોષ છે. ગત સપ્તાહે જય અંબે વિદ્યાલય દ્વારા આયોજિત સાયક્લોથોન સમયે અમિતનગર પાસે એસટી બસની અડફેટે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા હેત નામના વિદ્યાર્થીનું મોત નિપજ્યુ હતું. આ ઘટના બાદ વડોદરા વાલી મંડળે શાળા બંધનું એલાન પણ આપ્યુ હતુ. આ ઘટનાને એક અઠવાડિયાનો સમય વિતવા છતાં હજુ પણ વિદ્યાર્થીના મોત મામલે કાર્યવાહી ન થતા વાલીઓમાં રોષ છે.

(6:28 pm IST)