Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

વડોદરાના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડઃ પ૦૦ લોકોના ટોળાનો ભાડુ આપવાની માંગ સાથે હોબાળો

વડોદરાઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વડોદરામાં કૌભાંડ થતા પ૦૦ જેટલા લોકોઅે હોબાળો મચાવતા દોડધામ થઇ ગઇ હતી. મકાન ખાલી કર્યા બાદ નિર્ભર ખર્ચ ન મળતા લોકોએ સાંઈ રૂચી કોન્ટ્રાક્ટરની ઓફિસે હોબાળો મચાવ્યો હતો.

ભાડુ આપવાની માગ કરી હતી. 500 લોકોના ટોળાએ હોબાળો મચાવતા પોલીસ કાફલો પણ ધસી આવ્યો હતો. સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

લાભાર્થીઓએ પણ આરોપ લગાવ્યા કે પાછલા 1 વર્ષથી સાંઈ રૂચી કોન્ટ્રાક્ટર દ્વારા ભાડુ ચુકવવામા નથી આવતુ અને તેમને વહેલા મકાન પણ ફાળવવામાં આવતા નથી.

(6:23 pm IST)