Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

વાપીના સલવાવ ગુરૂકુળમાં સેવકે ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા

 વાપી, તા., પઃ વાપી પંથકના સલવાવ વિસ્તારમાં આવેલ શ્રી સ્વામી નારાયણ ગુરૂકુળમાં ગઇકાલે રાત્રે સેવકે સંકુલમાં આવેલ પોતાના રૂમમાં જ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સેવકે કયા કારણોસર આત્મહત્યા કરી એ અંગે જાણવા મળતું નથી. આ બનાવ અંગે ડુંગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(4:51 pm IST)