Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

સુરતના ડીંડોલીમાં પાંઉભાજીની લારીમાં કરંટ લાગતા ૩ કર્મચારી યુવાનના મોતથી અરેરાટી

સુરત: અહીંના ડીંડોલી વિસ્તારમાં પાંઉભાજીની લારી રાત્રે બંધ કરતી વખતે અેકાઅેક વિજ કરંટ લાગતા અહીં કામ કરત ૩ યુવાનોના અેક સાથે મોત થતા અરેરાટી મચી ગઇ હતી. શહેરના ડિંડોલી વિસ્તારની આ ઘટનામાં રવિવારે રાત્રે બાર વાગ્યે લારી બંધ કરતી વખતે સાફસફાઈ દરમિયાન કરંટ લાગતા આ યુવકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

મૃત્યુ પામનારા આ ત્રણેય યુવકો ઉમિયા ભાજીપાંઉની લારી પર નોકરી કરતા હતા. રવિવારે રાત્રે કામ પૂરું થયા બાદ તેઓ લારીની સાફસફાઈ કરી રહ્યા હતા, ત્યારે તેમને અચાનક કરંટ આવતા ત્રણેય ઘટના સ્થળે જ મોત થયા હતા. કોઈકે 108ને ફોન કરતા તાત્કાલિક એમ્બ્યુલન્સ અહીં આવી પહોંચી હતી, પરંતુ ત્રણેય યુવક મોતને ભેટ્યા હોવાથી પોલીસને જાણ કરાઈ હતી.

એક સાથે ત્રણ જવાનજોધ યુવકોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો, અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મૃત્યુ પામનારા તમામ યુવકો પરપ્રાંતિય યુવકો હતા, જેમના નામ રાજુ, ગણેશ અને શિવા હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ, લારી પર આટલો હાઈવોલ્ટેજ કરંટ કઈ રીતે આવ્યો તે પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે.

(7:17 pm IST)